રાજ્યના ખેડૂતોને વાવેતર માટે પાણીની નહીં પડે તંગી, જળાશયોમાં પાણીની મબલખ આવક

Dec 18, 2024 - 17:30
રાજ્યના ખેડૂતોને વાવેતર માટે પાણીની નહીં પડે તંગી, જળાશયોમાં પાણીની મબલખ આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો નિશ્ચિત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાતના 207 જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે 88 ટકા જેટલો પાણીનો જથ્થો

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ મુદ્દે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષ 2024 દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ છે. હાલ ગુજરાતના 207 જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે 88 ટકા જેટલો એટલે કે, 7.85 લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકા વધુ છે.

સરદાર સરોવર જળાશયમાં 90 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92 ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91 ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં 86 ટકા અને કચ્છના જળાશયોમાં 62 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ 90 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0