રથયાત્રા પહેલાં અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, વેપારીઓમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Crime Branch Raind in Ahmedabad : રથયાત્રા 27 જૂને યોજાઈ રહી છે તે પહેલા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે આજે બુધવારે રિલીફ રોડ પરના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ માર્કેટ મોબાઇલ ફોન, સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ગેજેટ્સના વેચાણ માટે જાણીતું છે. અહીં ઘણી વાર દસ્તાવેજો વિના સિમ કાર્ડ અને બિલ વગર મોબાઇલનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 10 જેટલા વેપારીની પૂછપરછ કરી હતી.
રથયાત્રા પૂર્વે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે.
What's Your Reaction?






