'મનસુખ વસાવાએ કહ્યું તે સાચી વાત છે, હું સાંસદને અભિનંદન આપું છું', મનરેગા કૌભાંડ મામલે ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન

Jul 4, 2025 - 04:30
'મનસુખ વસાવાએ કહ્યું તે સાચી વાત છે, હું સાંસદને અભિનંદન આપું છું', મનરેગા કૌભાંડ મામલે ચૈતર વસાવાનું સ્ફોટક નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Chaitar Vasava On MNREGA scam case: ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાના ખુલાસાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, 'કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા આપ્યા છે.'

મનરેગા કૌભાંડ મામલે મનસુખ વસાવા ઘટસ્ફોટને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે, 'મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું તે સાચી વાત છે. ગાંધીનગર સુધી આ કૌભાંડની જળ છે, જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાઈ તેમ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0