પ્રતાપનગર બ્રિજ ઉપર સફાઈ કરી આપ કાર્યકર્તાઓની ગાંધીગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આમ આદમી પાર્ટીએ સફાઈ અંગે તંત્રની આંખો ખોલવા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રતાપનગર બ્રિજ ઉપર તગારા અને પાવડા લઈ પહોંચેલા કાર્યકર્તાઓએ સફાઈ કામગીરી હાથ ધરી સત્તાપક્ષ અને તંત્રની ઝાટકણી કાઢી હતી.
કાર્યકર્તાઓનું કહેવું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આ બ્રિજ ઉપર સફાઈ ન થવાથી બ્રિજ ઉપર ઘાસ ઊગી નીકળ્યા છે. તેમજ બંને તરફ માટીના થર જામી ગયા છે. તંત્રની આંખો ખુલે તે માટે અહીં સફાઈ કરી લોકોને સુવિધા આપવાનો પ્રયાસ છે. શહેરમાં ઠેર ઠેર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ગંદકીના ઢગલા દૂર થઈ રહ્યા નથી.
What's Your Reaction?






