જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની અટકળોનો અંત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad 148th Rathyatra: અમદાવાદમાં આગામી 27 જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહી આવે. પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. જેના લીધે શરૂ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે.
What's Your Reaction?






