અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન

Aug 9, 2025 - 01:00
અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amreli News : ચોમાસાની સિઝનની શરૂઆતમાં સારો એવો વરસાદ થતાં ગુજરાતભરના ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી કરી હતી, પરંતુ ગુજરાતમાં જૂન મહિના બાદ વરસાદનું જોર ઘટતાં પાકને પાણીની અછત સર્જાતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેડૂતોએે મગફળી-કપાસ સહિતના પાકનું વાવેતરણ કર્યુ છે. તેવામાં એક તરફ વરસાદની અછત છે, તો બીજી તરફ પૂરતી વીજળીના અભાવે લાઠી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોના મગફળી-કપાસના પાકને નુકસાન થવાની સ્થિતિ ઊભી થતાં ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. 

મગફળી-કપાસના પાકને નુકસાન

રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી નહીવત વરસાદી માહોલ છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં વરસાદના વિરામના કારણે મગફળી અને કપાસના પાકમાં નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0