હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પુણેથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડવાની તૈયારી છે. જેમાં પુણે-વડોદરા વંદે ભારત રૂટ વધુ ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ બનતા ગુજરાત રાજ્યના લોકો માટે આ ખુબ જ લાભદાયી સાબિત થશે.
ભારતીય રેલ્વે દ્વારા પુણેથી ચાર શહેરોને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ છે. જેમાં પુણે-શેગાંવ, પુણે - વડોદરા, પુણે- સિકંદરાબાદ, અને પુણે- બેલગાવીનો સમાવેશ થાય છે. પુણે-વડોદરા વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતના મુસાફરો માટે ફાયદારૂપ બનશે. આ ટ્રેનના લોનાવાલા, પનવેલ, વાપી , સુરત જેવા સ્ટેશન પર સ્ટોપેજની શકયતા છે.
What's Your Reaction?






