સુરતમાં 68 વાલી સામે ગુનો નોંધવાનો આદેશ, RTE હેઠળ બાળકના પ્રવેશ માટે રજૂ કર્યા હતા ખોટા પુરાવા

Jan 22, 2025 - 18:00
સુરતમાં 68 વાલી સામે ગુનો નોંધવાનો આદેશ, RTE હેઠળ બાળકના પ્રવેશ માટે રજૂ કર્યા હતા ખોટા પુરાવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News: દેશભરમાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ દરેક બાળકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુસર સરકાર દ્વારા 25 ટકા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે. પરંતુ, અનેક વાલીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનું એડમિશન મેળવવાના કારણે અનેક જરૂરિયાતમંદ બાળકો પોતાના અધિકારથી વંચિત રહી જાય છે. હાલ, સુરત શિક્ષણાધિકારી દ્વારા આવા વાલીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરતમાં ખોટા આવકના દાખલા બનાવી ગેરકાયદે બાળકોનો પ્રવેશ મેળવનાર 100 જેટલાં વાલીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાંથી 68 વાલીઓ સામે DEO દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0