સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દશેરાના દિવસે સુરતમાં હજારો કિલો ફાફડા જલેબીનું વેચાણ થયું છે પરંતુ કેટલાક લેભાગુ વેપારીઓએ ફાફડા જલેબીના વેચાણમાં ગ્રાહકો છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પણ બહાર આવવાનું શરૂ થઈ ગયું છે. સુરતમાં સીંગતેલ- કપાસિયા તેલમાં બનેલા ફાફડા 500 રૂપિયે કિલોનું વેચાણ થયું હતું. તો બીજી તરફ કેટલાક લેભાગુ વેપારીઓએ પામોલીન અને ભેળસેળીયા તેલમાં ફાફડા બનાવી 500 રૂપિયા કિલોથી વેચાણ કરી દીધું હતું.
દશેરાના દિવસે સુરતમાં ફાફડા વીઆઈપી બની ગયા હતા અને મોટાભાગની દુકાનોમાં ફાફડા અને જલેબીનું મોટી માત્રામાં વેચાણ થયું હતું. દશેરાના કારણે સુરતમાં મોટી માત્રામાં ફાફડાનું વેચાણ થયું છે અને મોટા ભાગની દુકાનોમાં સિંગતેલ અથવા કપાસિયા તેલમાં બનાવેલા ફાફડાનું 500 રૂપિયા કિલો થી વેચાણ થયું હતું.
What's Your Reaction?






