રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot janmashtami News : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.
What's Your Reaction?






