યુસુફ પઠાણ સામે આક્રોશ - જૈન અને હિન્દુ સમાજની માફી માંગે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં રહેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે આદિના મસ્જિદની તેમની મુલાકાત અંગેની પોસ્ટથી વડોદરાના જૈન સમુદાયમાં આક્રોશ ફેલાતા યુસુફ પઠાણ માફી માંગે તેવી માંગ કરી છે.
સોશિયલ મીડિયામાં યુસુફ પઠાણે પોસ્ટમાં લખ્યું હતું કે, આદિના મસ્જિદ સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવી હતી. સામે યુઝર્સ અને ભાજપે દાવો કર્યો હતો કે, મુસ્લિમ શાસકોએ આદિનાથ દેરાસર તોડી મસ્જિદ બનાવી હતી. વિવાદ વધુ વકરતા વડોદરામાં પણ તેના પડઘા પડતા સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. જૈન અગ્રણી અને એડવોકેટ નીરજ જૈનનું કહેવું છે કે, આવી પોસ્ટ યોગ્ય નથી, યુસુફ પઠાણ કહેવા શું માંગે છે?, શુંટીએમસી ઐતિહાસિક તથ્યોને ઠુકરાવવા માંગે છે, સિકંદર શાહે હુમલો કરી તેને મસ્જિદનું રૂપ આપ્યું હતું.
What's Your Reaction?






