માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નિલગાય આડે ઉતરતા ચાલકે કાબુ ગુમાવ્યો : ભાવનગરનો સંઘ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો ત્યારે રહીજ નજીક અકસ્માતથી ગમગીની : ઇજાગ્રસ્તને કેશોદ, જૂનાગઢ ખસેડાયા
માંગરોળ, : માંગરોળ તાલુકાના રહીજ ગામ પાસે નિલગાય આડે ઉતરતા બસચાલકે કાબુ ગુમાવ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થયેલા બાઈકચાલકને બચાવવામાં બસ પલ્ટી ગઈ હતી. જેમાં ભાવનગરના બે મહિલા યાત્રાળુના મોત થયા હતા જ્યારે 30થી વધુ યાત્રિકોને ઈજા થતા માંગરોળ ઉપરાંત કેશોદ અને જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. જેમાંથી બે-ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતની જાણ થતા માંગરોળના હિન્દુ-મુસ્લિમ યુવાનોએ ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢ્યા હતા જેને 108માં સારવારમાં ખસેડાયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

