ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે

Aug 28, 2025 - 12:30
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


SC ST Welfare Confence : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 29 ઓગસ્ટે ભુવનેશ્વરમાં 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન'નું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય સંમેલન દેશભરના 120થી વધુ પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે, જેમાં ગુજરાતના 8 ધારાસભ્યો, 3 SC અને 5 ST વિશેષરૂપે ભાગ લેશે.

ભુવનેશ્વરમાં યોજાનારા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ SC-ST સમુદાયના કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે સંસદીય અને વિધાનસભાની સમિતિઓની ભૂમિકા પર ચર્ચા કરવાનો છે. ઓમ બિરલા દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મૃતિસૌવેનિરનું વિમોચન પણ કરવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય મંત્રી જ્યુઅલ ઓરમ, ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ અને સંસદીય સમિતિના અધ્યક્ષ ફગનસિંહ કુલસ્તે પણ ઉપસ્થિત રહેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0