ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પૂર્ણ, આજની રાત મંદિરના પ્રાંગણમાં વિતાવશે ભગવાન

147th Jagannath Rath Yatra in Ahmedabad: અમદાવાદમાં આજે એટલે કે સાતમી જુલાઈએ 147મી રથયાત્રા વાજતે-ગાજતે ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી ગયા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.   • Rath yatra Live Update:  10.24 PMભગવાન જગન્નાથની નીજ મંદિરમાં આરતી પૂર્ણભગવાન જગન્નાથની રથ નિજ મંદિરે પહોંચ્યા બાદ આરતી કરવામાં આવી હતી. પ્રથા મુજબ ભગવાન જગન્નાથ આજે મંદિરના પટાંગણમાં રાત વિતાવશે. આવતીકાલે સવારે આરતી બાદ ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે.  09.14 PMનિજ મંદિર પરત પહોંચી રથયાત્રા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીનો રથ નિજ મંદિર પહોંચી ગયા છે. રથયાત્રા દરમિયાન ઠેર-ઠેર જય રણછોડ... માખણચોરના નાદ સાથે રથયાત્રાનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંદાજે 4થી 5 લાખ લોકો ભગવાનના દર્શનનો લાભ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  09.10 PMરથયાત્રા પહોંચતાં નિજ મંદિરે અમીછાંટણાઆજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકાળાવવામાં આવી હતી.  દર વર્ષની માફક ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું સમાપાન થયું હતું. વહેલી સવારે 7 વાગે નિકળેલી રથયાત્રા 9:20 કલાકે નિજ મંદિર પહોંચી હતી. જય જગન્નાથ અને જય રણછોડના નારા સાથે ભાવિક ભક્તોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.  રથયાત્રા જગન્નાથ મંદિર પહોંચી ત્યારે અમીછાંટણા થયા હતા. મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથા મુજબ આજની રાત ત્રણેય રથ મંદિરના પટાંગણમાં રાખવામાં આવશે. 08.15 PMભગવાન જગન્નાથના રથ પાનકોર નાકા પહોંચ્યાભગવાન જગન્નાથના રથ ઘી કાંટાથી નિકળીને પાનકોર નાકા પહોંચ્યા છે. જ્યારે મહંત દિલીપ દાસજી, ગજરાજ અને ભજન મંડળીઓ નીજ મંદિર તરફ રવાના થઇ છે. ભક્તો ભક્તિમાં લીન થઇ ગયા છે.  07.35 PMભગવાન જગન્નાથના રથ શાહપુર દરવાજા પહોંચ્યાભગવાન જગન્નાથનો રથ શાહપુર પહોંચી ગયો છે. ભક્તોમાં અનેરો આનંદ અને હર્ષની લાગણી જોવા મળી રહ્યો છે. ચારેય તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. 07: 07 PMભગવાન જગન્નાથનો રથ દરિયાપુર પહોંચ્યોભગવાન બળભદ્રજીનો રથ દરિયાપુર પહોંચી ગયો છે. આતુરતાથી રાહ જોઇ રહેલા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીનો રથ હવે શાહપુર તરફ આગળ વધી રહ્યો છે.06.05 PMકાલુપુર પહોંચ્યા રથભગવાન જગન્નાથના રથ કાલુપુર પહોંચ્યા, નિયત સમય કરતાં રથયાત્રા બે કલાક મોડી ચાલી રહી છે. ભક્તો નિજ મંદિર આતુરતાથી ભગવાનની રાહ જોઇએ રહ્યા છે. 05.10 PMભગવાન જગન્નાથના રથ પ્રેમ દરવાજા પહોચ્યાંસરસપુરથી નિજ મંદિર પહોંચી રહેલો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ પ્રેમ દરવાજા ખાતે પહોંચી ગયા. 05.30 PMરથયાત્રામાં 108 એમ્બ્યુલન્સને કુલ 13 કેસ મળ્યારથયાત્રામાં 108 એમ્બ્યુલન્સ સર્વિસને કુલ 13 કેસ મળ્યા. ચાર કેસ અકસ્માતે પડી જવાના, 3 આંચકીના, બે સ્ટ્રોકના તો એક-એક કેસ પેટમાં દુખાવાનો, ઝાડા ઉલ્ટીનો અને એક બેભાન થઈ જવાનો. ભાવિકોએ એમ્બ્યુલન્સને માર્ગ કરી આપ્યો.05.00 PMહર્ષ સંઘવીએ રથયાત્રામાં પદયાત્રા કરીગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંબુ પોલીસ ચોકી ખાતેથી રથયાત્રામાં પદયાત્રા કરતા નજરે પડ્યા છે. 04.37 PMરથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચેલી રથયાત્રાનું કોર્પોરેશનના મેયર સહિતના અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.04.25 PMઆજે ભગવાન જગ્નનાથની રથયાત્રામાં અનેક ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે, ત્યારે રથયાત્રાના માર્ગ પર શ્રવણ યાત્રાનો ટેબ્લો પણ જોવા મળ્યો છે.04.15 PMદિલ્હી ચકલા પહોંચી રથયાત્રાજય રણછોડ... માખણચોર... જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ગઈ છે. અહીં ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે.03.45 PMરથયાત્રાના માર્ગ પર જોવા મળ્યો ભગવાન રામ લલ્લાનો ટેબ્લોરંગેચંગે આગળ વધી રહેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આજે ટી20 વર્લ્ડકપ સહિત અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.03.40 PMઅમદાવાદમાં ભવ્યાતિભવ્ય નીકળી રહેલી રથયાત્રામાં ટી20 વર્લ્ડકપના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ03.35 PMભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને લઈને નીજ મંદિર તરફ પ્રયાણ કરી રહેલી રથયાત્રા હાલ દરિયાપુર પહોંચી છે. અહીં ભક્તોનો ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાનો રૂટ ચોતરફથી જય જગન્નાથના નાદથી ગૂંજતો જોવા મળી રહ્યો છે.03.30 PMરથયાત્રા પ્રેમ દરવાજાથી દરીયાપુર તંબુ ચોકી પહોંચવાની તૈયારીમાંરથયાત્રાના માર્ગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રેમ દરવાજાથી દરીયાપુર તંબુ ચોકી સુધી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ ભક્તો પણ ભગવાનને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં જ ગજરાજો પ્રેમદરવાજા સુધી પહોંચશે. ત્યારબાદ રથયાત્રા વિધિવત આગ વધી નીજ મંદિર તરફ પ્રયાણ કરશે.03.00 PMગજરાજ સરસપુરથી નિજ મંદિર તરફ રવાનારથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુરથી નિજ મંદિર જવા માટે રવાના થઈ ગયા છે. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. રામમંદિર, વિશ્વગુરુ, વર્લ્ડકપ સહિતના ટેબ્લો જોવા મળી રહ્યા છે.02.45 PMઢોલ-નગારા સાથે મામેરું ભરવામાં આવ્યુંજગન્નાથજીનું સરસપુરમાં ઢોલ-નગારા સાથે મામેરું ભરવામાં આવ્યું હતું. આ વર્ષે મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ છે. જેમણે ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ,

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પૂર્ણ, આજની રાત મંદિરના પ્રાંગણમાં વિતાવશે ભગવાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Rathyatra 2024

147th Jagannath Rath Yatra in Ahmedabad: અમદાવાદમાં આજે એટલે કે સાતમી જુલાઈએ 147મી રથયાત્રા વાજતે-ગાજતે ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી ગયા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.  

• Rath yatra Live Update: 

 10.24 PM

ભગવાન જગન્નાથની નીજ મંદિરમાં આરતી પૂર્ણ

ભગવાન જગન્નાથની રથ નિજ મંદિરે પહોંચ્યા બાદ આરતી કરવામાં આવી હતી. પ્રથા મુજબ ભગવાન જગન્નાથ આજે મંદિરના પટાંગણમાં રાત વિતાવશે. આવતીકાલે સવારે આરતી બાદ ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે. 

 09.14 PM

નિજ મંદિર પરત પહોંચી રથયાત્રા 

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીનો રથ નિજ મંદિર પહોંચી ગયા છે. રથયાત્રા દરમિયાન ઠેર-ઠેર જય રણછોડ... માખણચોરના નાદ સાથે રથયાત્રાનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંદાજે 4થી 5 લાખ લોકો ભગવાનના દર્શનનો લાભ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

 09.10 PM

રથયાત્રા પહોંચતાં નિજ મંદિરે અમીછાંટણા

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકાળાવવામાં આવી હતી.  દર વર્ષની માફક ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું સમાપાન થયું હતું. વહેલી સવારે 7 વાગે નિકળેલી રથયાત્રા 9:20 કલાકે નિજ મંદિર પહોંચી હતી. જય જગન્નાથ અને જય રણછોડના નારા સાથે ભાવિક ભક્તોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.  રથયાત્રા જગન્નાથ મંદિર પહોંચી ત્યારે અમીછાંટણા થયા હતા. મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથા મુજબ આજની રાત ત્રણેય રથ મંદિરના પટાંગણમાં રાખવામાં આવશે. 

08.15 PM

ભગવાન જગન્નાથના રથ પાનકોર નાકા પહોંચ્યા

ભગવાન જગન્નાથના રથ ઘી કાંટાથી નિકળીને પાનકોર નાકા પહોંચ્યા છે. જ્યારે મહંત દિલીપ દાસજી, ગજરાજ અને ભજન મંડળીઓ નીજ મંદિર તરફ રવાના થઇ છે. ભક્તો ભક્તિમાં લીન થઇ ગયા છે. 


 07.35 PM

ભગવાન જગન્નાથના રથ શાહપુર દરવાજા પહોંચ્યા

ભગવાન જગન્નાથનો રથ શાહપુર પહોંચી ગયો છે. ભક્તોમાં અનેરો આનંદ અને હર્ષની લાગણી જોવા મળી રહ્યો છે. ચારેય તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. 

07: 07 PM

ભગવાન જગન્નાથનો રથ દરિયાપુર પહોંચ્યો

ભગવાન બળભદ્રજીનો રથ દરિયાપુર પહોંચી ગયો છે. આતુરતાથી રાહ જોઇ રહેલા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીનો રથ હવે શાહપુર તરફ આગળ વધી રહ્યો છે.

06.05 PM


કાલુપુર પહોંચ્યા રથ

ભગવાન જગન્નાથના રથ કાલુપુર પહોંચ્યા, નિયત સમય કરતાં રથયાત્રા બે કલાક મોડી ચાલી રહી છે. ભક્તો નિજ મંદિર આતુરતાથી ભગવાનની રાહ જોઇએ રહ્યા છે. 

05.10 PM

ભગવાન જગન્નાથના રથ પ્રેમ દરવાજા પહોચ્યાં

સરસપુરથી નિજ મંદિર પહોંચી રહેલો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ પ્રેમ દરવાજા ખાતે પહોંચી ગયા. 

05.30 PM

રથયાત્રામાં 108 એમ્બ્યુલન્સને કુલ 13 કેસ મળ્યા

રથયાત્રામાં 108 એમ્બ્યુલન્સ સર્વિસને કુલ 13 કેસ મળ્યા. ચાર કેસ અકસ્માતે પડી જવાના, 3 આંચકીના, બે સ્ટ્રોકના તો એક-એક કેસ પેટમાં દુખાવાનો, ઝાડા ઉલ્ટીનો અને એક બેભાન થઈ જવાનો. ભાવિકોએ એમ્બ્યુલન્સને માર્ગ કરી આપ્યો.

05.00 PM

હર્ષ સંઘવીએ રથયાત્રામાં પદયાત્રા કરી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંબુ પોલીસ ચોકી ખાતેથી રથયાત્રામાં પદયાત્રા કરતા નજરે પડ્યા છે.

04.37 PM

રથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચેલી રથયાત્રાનું કોર્પોરેશનના મેયર સહિતના અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.


04.25 PM

આજે ભગવાન જગ્નનાથની રથયાત્રામાં અનેક ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે, ત્યારે રથયાત્રાના માર્ગ પર શ્રવણ યાત્રાનો ટેબ્લો પણ જોવા મળ્યો છે.


04.15 PM

દિલ્હી ચકલા પહોંચી રથયાત્રા

જય રણછોડ... માખણચોર... જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ગઈ છે. અહીં ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે.


03.45 PM

રથયાત્રાના માર્ગ પર જોવા મળ્યો ભગવાન રામ લલ્લાનો ટેબ્લો

રંગેચંગે આગળ વધી રહેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આજે ટી20 વર્લ્ડકપ સહિત અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.


03.40 PM

અમદાવાદમાં ભવ્યાતિભવ્ય નીકળી રહેલી રથયાત્રામાં ટી20 વર્લ્ડકપના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ



03.35 PM

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને લઈને નીજ મંદિર તરફ પ્રયાણ કરી રહેલી રથયાત્રા હાલ દરિયાપુર પહોંચી છે. અહીં ભક્તોનો ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાનો રૂટ ચોતરફથી જય જગન્નાથના નાદથી ગૂંજતો જોવા મળી રહ્યો છે.

03.30 PM

રથયાત્રા પ્રેમ દરવાજાથી દરીયાપુર તંબુ ચોકી પહોંચવાની તૈયારીમાં

રથયાત્રાના માર્ગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રેમ દરવાજાથી દરીયાપુર તંબુ ચોકી સુધી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ ભક્તો પણ ભગવાનને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં જ ગજરાજો પ્રેમદરવાજા સુધી પહોંચશે. ત્યારબાદ રથયાત્રા વિધિવત આગ વધી નીજ મંદિર તરફ પ્રયાણ કરશે.


03.00 PM

ગજરાજ સરસપુરથી નિજ મંદિર તરફ રવાના

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુરથી નિજ મંદિર જવા માટે રવાના થઈ ગયા છે. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. રામમંદિર, વિશ્વગુરુ, વર્લ્ડકપ સહિતના ટેબ્લો જોવા મળી રહ્યા છે.


02.45 PM

ઢોલ-નગારા સાથે મામેરું ભરવામાં આવ્યું

જગન્નાથજીનું સરસપુરમાં ઢોલ-નગારા સાથે મામેરું ભરવામાં આવ્યું હતું. આ વર્ષે મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ છે. જેમણે ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા અર્પણ કર્યા હતા.

02.30 PM

ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પર પહોંચી હતી, ત્યારે મોસાળમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોસાળમાં ત્રણેય રથને રોકીને મામેરું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગજરાજ અને રથની વિદાય આપવામાં આવી હતી. 

01.30 PM

ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી ગઈ છે. મોસાળમાં જગન્નાથના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર બ્રિજ પર જનમેદની જોવા મળી રહી છે. મોસાળમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 'જય રણછોડ, માખણચોર' તેમજ 'જય જગન્નાથ'ના નાદથી સરસપુર ગૂજી ઉઠ્યું છે. 

01.00 PM

ગુજરાતમાં અમદાવાદ સિવાય ભાવનગર, રાજકોટ, શામળાજી, કલોલ, ડાકોર, છોટા ઉદેપુરના બોડેલીમાં પણ હર્ષોલ્લાસ સાથે જગતના નાથની રથયાત્રા નીકળી છે. 

12.55 PM

રથયાત્રા કાલુપુર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 5 ભક્તો બેભાન થઈને ઢળી પડ્યા છે જ્યારે અલગ અલગ જગ્યાએ 5 બાળકો વિખૂટાં પડી ગયા છે. 

12.45 PM

કરતબબાજો અને સ્ટંટના કમાલ


12.35 PM

સરસપુરની લુહાર શેરીમાં છેલ્લા 48 વર્ષથી સૌથી મોટુ રસોડું ચાલે છે. 5000 ભક્તો પ્રસાદ લઈ શકે તેવું આયોજન. આ વર્ષે રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.

12.30 PM

મુખ્યમંત્રીએ અમદાવાદની રથયાત્રાના સંચાલન રૂટનું નિરીક્ષણ કર્યું છે.  ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડની વીડિયો વોલ પરથી રથયાત્રા નિરીક્ષણ કર્યું છે. રથયાત્રામાં પહેલીવાર વીડિયો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રાને પગલે શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા છે.

12.25 PM

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારી શરુ થઈ ગઈ છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે.

11.55 AM

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારી શરુ થઈ ગઈ છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે.

11.50 AM

ભગવાન જગન્નાથનો રથ AMC ઓફિસ પહોંચ્યો

ભગવાન જગન્નાથનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પહોંચી ગયો છે. જ્યારે રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચી ગયા છે. સરસપુરમાં ગજરાજના આગમન સાથે જ ભક્તોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોરના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

11.25 AM

રથયાત્રા રુટ પર પોલીસની ચાંપતી નજર

11.00 AM

રથયાત્રાને લઈને ભક્તોનો અનેરો ઉત્સાહ, જુઓ તસવીર



10.45 AM

રાજકોટમાં પણ નીકળી રથયાત્રા

અમદાવાદ, ભાવનગર બાદ રાજકોટમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. રાજવી માંધાતાસિંહ જાડેજા પહીંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

10.05 AM

તલવારબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા

રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી ગઈ છે. પોલીસનો કાફલો કાલુપુર સર્કલ પાસે ડોગ સ્ક્વોડ સાથે તહેનાત છે. જગન્નાથની રથયાત્રામાં 'અખાડા અને કરતબ'એ આકર્ષણ જમાવ્યું છે. યુવાનોની તલવારાબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા છે.

09.40 AM

ગુજરાતની બીજી સૌથી મોટી ભાવનગરની રથયાત્રા રવાના : અહીં ક્લિક કરો

દેશની ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા અષાઢી બીજ (સાતમી જુલાઈ)ના પાવન દિવસે શહેરના રાજમાર્ગો નિકળવા માટે પ્રસ્થાન થઈ છે.

09.35 AM

રથયાત્રા ખમાસા પહોંચી ગઈ છે. જ્યાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે.

09.15 AM

ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળની નજીક પહોંચ્યા છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં પણ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Ahmedabad Rathyatra 2024

આ પણ વાંચો : જગન્નાથપુરીનાં મંદિરે દરરોજ ચમત્કારો સર્જાય છે! 

08.59 AM

રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. 

Ahmedabad Rathyatra 2024

08.55 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાડુને આપી નૂતન વર્ષની શુભેચ્છા

આજે અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. કચ્છીમાડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કચ્છી ભાષામાં પોસ્ટ કરીને કચ્છીમાડુઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે 'મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો'.

08.15 AM

રથયાત્રા થોડીવારમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પહોંચશે. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. રોડની બંને સાઈડ ભક્તો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા છે. 

આ પણ વાંચો  : ગાંધીનગરમાં 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન

07.50 AM

ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

Ahmedabad Rathyatra 2024

07.45 AM

ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે.

07.32 AM

ભગવાન જગન્નાથ યાત્રા આ રૂટ પરથી પસાર થશે

Ahmedabad Rathyatra 2024

07.30 AM

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટની સમય સાથેની વિગત.

Ahmedabad Rathyatra 2024

07.15 AM

ત્રણેય રથ મંદિર બહાર નીકળ્યા, દેશ-વિદેશથી ભક્તો પહોંચ્યા

દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં શરુ થઈ ગઈ છે. ત્રણેય રથ મંદિરની બહાર નીકળ્યા છે. દેશ-વિદેશથી લગભગ 50 હજારથી વધારે ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યું છે. 

07.10 AM

અમદાવાદમાં જય જગન્નાથના નાદ સાથે 147મી રથયાત્રાનું પ્રસ્થાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે. ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળી ગયા છે. રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. 

07.00 AM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી. ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્ચાએ.

6:50 AM 

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે અમદાવાદમાં કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા અને સ્થળ વિશે જાણો 


6.30 AM

અમિત શાહે મંગળા આરતી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 147મી રથયાત્રાના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી છે.

Ahmedabad Rathyatra 2024

6:20 AM 

રથ પર સવાર થયા જગન્નાથ 

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ આવી જ રીતે રથયાત્રા યોજવામાં આવી રહી છે. 

6:15 AM 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. 

6:10 AM 

આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.

• 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે રહેશે

પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આ રથયાત્રાને સફળ બનાવવા આઈ.જી. કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મી ખડે પગે ફરજ બજાવશે. રથયાત્રામાં જોડાનારા રથ, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મી જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તહેનાત રહેશે. એટલું જ નહીં, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરાઈ છે.’

• સમગ્ર રૂટનું લાઈવ મોનિટરિંગ કરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ અંગે જણાવ્યું કે, ‘47 જેટલા લોકેશન પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વૉર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોના સહકારથી 1400 જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રખાશે.’

• મેડિકલ ઈમરજન્સી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય 

રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે. 

• રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે

ભગવાન જગન્નાથજીના રથને ખલાસીઓ ભાઇઓ આગળ લઇ જવાનું કામ કરે છે. રથયાત્રામાં મોટી દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામની અથાગ સેવા કરનાર રામભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષો સુધી જળવાઇ પણ રહી છે.

• 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

• એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી

1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી તેમ કહીએ તો કોઇપણ વ્યક્તિ આ વાત માનશે નહીં પરંતુ તે હકીકત છે.