નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે

Sep 7, 2025 - 08:00
નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નદીમાંથી ચાર દિવસે બાળકીનો મૃતદેહ મળ્યો હતો 

- આરોપીના 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા બોરસદની જેલમાં મોકલવા આદેશ કરાયો 

આણંદ : આંકલાવ તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ તેણી ઉપર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેનાર આરોપી અજય પઢીયારના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા આજે તેને બોરસદની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

આંકલાવ તાલુકાના નવાખલ ગામે રહેતો અજય પઢિયાર ગત તારીખ ૩૦ મી ઓગસ્ટના રોજ ગામની એક પાંચ વષય માસુમ બાળકીને મકાઈ અપાવવાની લાલચ આપી બાઈક ઉપર અપહરણ કરી લઈ ગયો હતો. ઘરેથી આરતી કરવા ગયેલી બાળકી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બાળકીનો કોઈ પત્તો ન લાગતા આખરે આકલાવ પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0