નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ કરજણમાં નર્મદા કિનારે જમીન લેનાર એનઆરઆઇને જમીનનો સોદો તેમજ એનએ કરવા સુધીની પ્રોસિજર કરી આપનાર વકીલ પાસે એનઆરઆઇએ ફી પરત લેવા માટે ઓફિસમાં ઉત્પાત મચાવતાં આખરે વકીલે રૃ.૫ લાખ પરત આપી અકોટા પોલીસ સ્ટેશનમાં એનઆરઆઇ સામે ફરિયાદ નોંધાવી છે.
ઇલોરાપાર્કના વ્હાઇટ ઓક કોમ્પ્લેક્સમાં રહેતા વકીલ મનીષચંદ્ર દીક્ષિતે પોલીસને કહ્યું છે કે,ઓક્ટોબર-૨૦૨૫માં મારે એનઆરઆઇ રાકેશ નાયક સાથે સંપર્ક થયો હતો.રાકેશભાઇને નર્મદા કિનારે તેમના ભાવે જમીન જોઇતી હોવાથી મેં કરજણના કોઠીયા ખાતે જમીનનો સોદો કરાવી આપ્યો હતો અને ત્યારબાદ જમીન એનએ કરવાની પ્રોસિજર કરી તમામ વિધિ પૂર્ણ કરી હતી.જે બદલ તેમણે મને ફી ચૂકવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

