દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનોની લાંબી કતાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : આજે દેવ દિવાળીના પાવન પર્વએ ભગવાન નરસિંહજીના 288મા શુભ લગ્ન પ્રસંગનો વરઘોડો સમી સાંજે નરસિંહજીની પોળમાંથી પ્રસ્થાન થશે. પ્રભુને સાક્ષાત ચાંદલો કરવા આજે વહેલી સવારથી જ ભક્તજનોની લાંબી લાઈન લાગી હતી. હજારો ભક્તો પ્રભુને સાક્ષાત ચાંદલો કરીને આજે ધન્ય બન્યા હતા. લોખંડી પોલીસ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારો આસપાસ લગાવાયેલી પતરાની આડશ તથા વિવિધ ટેકનોલોજીના સહારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર વરઘોડાના રૂટને સ્વચ્છ- સુઘડ કરી રોશનીથી શણગારવામાં આવ્યો છે. તુલસી વાડી ખાતે પ્રભુનો વરઘોડો ધામધૂમથી પહોંચ્યા બાદ તુલસીજી સાથે ભવ્ય લગ્ન સમારોહ મોડી રાત સુધી ચાલશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

