દાંતીવાડામાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં યુવક પાણીમાં ડૂબી જતાં મોત, શોકનું મોજું ફરી વળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dantiwada News: દશામાના વ્રતની પૂર્ણાહૂતિ નિમિત્તે દાંતીવાડા ડેમ પાસે આવેલી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા ગયેલા એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશ માળી (રહે. ડીસા) નામનો યુવક તેના પરિવાર સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે દાંતીવાડા ડેમ નજીક આવેલી નદીમાં ગયો હતો. મૂર્તિ પધરાવતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
What's Your Reaction?






