જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્તિ ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Crime : જામનગર તાલુકાના સચાણા ગામમાં ગઈકાલે કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલામાં ચાર મહિલાઓ સહિત સાત વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર અપાઇ છે. પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સચાણા ગામમાં રહેતી નિગાહબાનું અબ્દુલભાઈ ભગાડ નામની 19 વર્ષની યુવતીએ ઘર પાસે કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતની તકરારમાં પોતાના ઉપર તેમજ પોતાના પિતા અબ્દુલભાઈ ભગાડ માતા ખેરૂનબેન ભગાડ, તથા કાકી નાજમીનબેન ભગાડ ઉપર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા અહેમદ હસન બસીરભાઈ ભગાડ, બસીર હારુનભાઈ ભગાડ, દાઉદ અકબરભાઈ કક્કલ અને સબીર ભગાડ સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?






