જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે 'શ્રવણ'બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા

Aug 10, 2025 - 22:00
જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે 'શ્રવણ'બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પવિત્ર શ્રાવણ માસના દિવ્ય અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પુણ્યનું ભાથું બાંધવા તત્પર હોય છે, ત્યારે જામનગરના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે એક અનોખો સેવા યજ્ઞ આયોજિત કર્યો હતો. આધુનિક સમયમાં શ્રવણ કુમારની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા, સંસ્થા દ્વારા સર્વ જ્ઞાતિના વરિષ્ઠ નાગરિકો માટે એક દિવસીય ‘શ્રવણ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે સતત ચોથા વર્ષે આયોજિત આ યાત્રામાં 260 જેટલા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેવાધિદેવ દ્વારિકાધીશના દર્શનનો લ્હાવો લીધો હતો.

આ ભક્તિમય યાત્રાનો પ્રારંભ ગત તારીખ 07 ઓગસ્ટના રોજ સવારના સાત કલાકે જામનગરથી થયો હતો. વહેલી સવારથી જ વડીલોના ચહેરા પર યાત્રાએ જવાનો આનંદ અને ઉત્સાહ છલકાતો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0