જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તોફાની સમુદ્રમાં કોસ્ટગાર્ડની મદદથી સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ : હજુ 50 ફિશિંગ બોટ સાથે 400 માછીમારો મધદરિયે હોવાથી પરત લાવવા કવાયત : એક સિંહ પણ વરસાદી પાણીમાં ફસાયાનો વીડિયો વાયરલ
અમરેલી, : અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે. જાફરાબાદના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા ઉછળતા અનેક માછીમારોની બોટો ફસાઈ ગઈ હતી. સ્થાનિક તંત્ર અને કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ત્રણ ફિશીંગ બોટ પલટી ગઈ હતી. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા.
What's Your Reaction?






