ચાંદીની ઝારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ દિવાન ચોક પુરોહિત ખડકીમાં પ્રાચીન મંદિર માતાજીનાં જળની પ્રસાદી લેવાથી નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થતી હોવાની શ્રધ્ધા
જૂનાગઢ, : જૂનાગઢમાં દિવાન ચોકમાં મહિલા સમાજ પાસે આવેલા પુરોહિત ખડકીમાં ઘરમાં જ 150 વર્ષથી સ્વયંભૂ રાંદલ માતાજી ચાંદીની જારીજી પર એકાંક્ષી સ્વરૂપે બિરાજમાન છે. પાણીયારે બિરાજિત રાંદલ માતાજીની જળની પ્રસાદી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ આપી આશીર્વાદરૂપ બની રહી હોવાની શ્રધ્ધા વ્યાપક છે.
પુરોહિત ખડકીમાં પુરોહિત પરિવારના ઘરમાં રાંદલ માતાજી એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન છે. માતાજીની સેવા પૂજા કરતા પેઢી બદલાઈ તેમ છતાં માતાજીની પૂજા જૂના રિવાજ મુજબ જ કરવામાં આવે છે.
What's Your Reaction?






