ગુજરાતમાં આકાશી આફતે તારાજી સર્જી, વીજળી પડવાથી 7 લોકોના મોત

Jun 15, 2025 - 01:30
ગુજરાતમાં આકાશી આફતે તારાજી સર્જી, વીજળી પડવાથી 7 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આકાશી આફતે તારાજી સર્જી છે. હાલોલના કંટેલીમાં રહેણાંક મકાન પર વીજળી પડતા મકાનમાં આગ લાગી હતી. સ્થાનિકો દ્વારા આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ મકાન સળગી ગયું હતુ. રાજકોટમાં વીજળી પડવાના કારણે એકનું મોત થયું છે. રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં વીજળી પડતા 43 વર્ષીય દલુભાઈ બારૈયાનું મોત થયું છે. દલુભાઈના ઘરે વીજળી પડવાથી તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા આવ્યા હતા. ત્યા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પંચમહાલ વીજળી પડતા સરપંચનું મોત

બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વીજળી પડતા સરપંચનું મોત થયું છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ અજયસિંહ ચૌહાણનું વીજળી પડવાથી મોત થયું છે. અમરેલીના ધારીમાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. ધારીના બોરડી ગામમાં વીજળી પડતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું મોત થતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.

માંગરોળ અને બોડેલીમાં વીજળી પડતા બેના મોત
સુરતના માંગરોળમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. માંગરોળના કંટવાવ ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. છોટાઉદેપુરના બોડેલીમાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. કોલીયારી ગામે કૂવાની કામગીરી વખતે વીજળી પડતા મોત થયું છે. અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડ્યો છે.

દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રના મોત
દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રના મોત થયા છે. પિતા-પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.ખેડા જિલ્લામાં વીજળી પડતા ઝાડ સળગ્યું હતું.ખેડા તારાપુર રોડ પર સાયલામાં ઝાડ પર વીજળી પડતા વૃક્ષ સળગી ઉઠ્યું હતું.વૃક્ષ ભડભડ સળગી ઉઠતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0