ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gorakhnath New Idol : જુનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથજીના શિખર ખાતે રવિવારે (5 ઓક્ટોબર) રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથજીની પ્રતિમાની તોડફોડ કરી તેને મંદિરની બહાર જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની જઘન્ય ઘટના સામે આવી હતી. આ ઘટનાના વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે આજે (6 ઓક્ટોબર) ગિરનાર પર્વત પર જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગોરખનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું, જેથી મંદિર મૂર્તિ વગરનું ન રહે.
સરકારની દરમિયાનગીરી બાદ નવી પ્રતિમાનું સ્થાપન
ગોરખનાથજીની પ્રતિમાની તોડફોના કારણે સંતો-મહંતો અને ભાવિક ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
What's Your Reaction?






