ખારાઘોડા, નવાગામમાં દૂષિત પાણીનો નિકાલ ન થતાં રોગચાળાનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક તંત્રએ કામગીરી નહીં કરતા ટીડીઓને રજૂઆત
તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખના ઘર પાસે જ ગંદા પાણી ભરાઇ રહેતા રોષ ઠાલવ્યો
સુરેન્દ્રનગર - દસાડા તાલુકાના ખારાઘોડા, નવાગામમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા દૂષિત અને ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં નીંભર તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતાં ખારાઘોડાના રહિશોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને ઉગ્ર રજુઆત કરી હતી.
ખારાઘોડા અને નવાગામ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પુરતી નહીં હોવાથી દૂષિત પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘર સુધી પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે.
What's Your Reaction?






