ખારાઘોડા, નવાગામમાં દૂષિત પાણીનો નિકાલ ન થતાં રોગચાળાનો ભય

Jun 11, 2025 - 10:30
ખારાઘોડા, નવાગામમાં દૂષિત પાણીનો નિકાલ ન થતાં રોગચાળાનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સ્થાનિક તંત્રએ કામગીરી નહીં કરતા ટીડીઓને રજૂઆત

તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખના ઘર પાસે જ ગંદા પાણી ભરાઇ રહેતા રોષ ઠાલવ્યો

સુરેન્દ્રનગર -  દસાડા તાલુકાના ખારાઘોડા, નવાગામમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા દૂષિત અને ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં નીંભર તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતાં ખારાઘોડાના રહિશોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને ઉગ્ર રજુઆત કરી હતી.

ખારાઘોડા અને નવાગામ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પુરતી નહીં હોવાથી દૂષિત પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘર સુધી પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0