કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: 'અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?' કોંગ્રેસનો સરકારને સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. નવી કેબિનેટની રચનામાં જૂની ટીમમાંથી 9 જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, જેમાંથી અનેક દિગ્ગજોને તેમના મંત્રાલય સંબંધિત કૌભાંડો, વ્યક્તિગત વિવાદો કે પછી પુત્રના કારનામા નડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
નવા મંત્રીમંડળની જાહેરાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, "ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની ફરિયાદો હોવા છતાં અઢી વર્ષ સુધી આ મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. હવે કૌભાંડો બહાર આવ્યા બાદ નવા મંત્રીમંડળના નામે જૂના ભ્રષ્ટાચારો પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
What's Your Reaction?






