કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાન મંદિરે મહંતને માર મારી રૂા.3.91 લાખની લૂંટ

Aug 4, 2025 - 08:30
કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાન મંદિરે મહંતને માર મારી રૂા.3.91 લાખની લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મધરાત્રે ત્રાટકેલા ત્રણ લૂંટારૂ શખ્સોનું કારસ્તાન

છરી બતાવીને મહંતના હાથ-પગ બાંધી બેફામ માર માર્યો, સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ ફોન લૂંટી ગયા, સીસીટીવી કેમેરા તોડી નાખ્યા 

કોટડાસાંગાણી: કોટડાસાંગાણીના સોળીયા રોડ પર આવેલા શ્રી રોકડીયા હનુમાન મંદિરે ગત શુક્રવારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસના સમયમાં કોઈ અજાણ્યા ત્રણ ઈસમોએ આવીને મહંત ટનાટનદાસ બાપુને છરી બતાવી માર મારીને હાથ-પગ બાંધી કાનમાંથી સોનાના કુંડલ, હાથમાં પહેરેલી સોનાની  વિંટી, કબાટ ખોલીને રોકડ રૂપિયા અને અને ૨૫૦ ગ્રામ ચાંદી, બે મોબાઈલ ફોન સહિત રૂા.૩.૯૧ લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા અને ૭ સીસીટીવી કેમેરા પણ તોડી નાખીને ડીવીઆર ઉઠાવી જતાં ઉહાપોહ મચી ગયો છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0