કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યુવા ખેડૂત બંધુઓએ નવી કેડી કંડારી - સાહસ કરે તેને સફળતા મળે કહેવત સાચી ઠેરવી
એક રોપામાંથી વર્ષે અંદાજે ૨૦ કિલો ઉત્પાદન મળે, ૮ હજાર રોપામાંથી ૧.૬૦ લાખ કિલો ઉત્પાદનની આશા ઃ હાલ એક કિલો લીલા અંજીરનો બજાર ભાવ રૃ.૨૦૦
સુરેન્દ્રનગર - સાહસ કરે એજ આગળ વધે આ કહેવતને સાચી સાબિત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામના યુવાન ખેડૂત મિલન રાવલે. અગાઉ પરંપરાગત પાક - કપાસ, ઘઉં, જીરું વગેરે ખેતી કરતા ખેડૂતે બાગાયતી ખેતી તરફ વળીને લીલા અંજીરનો પાક લેવાનું શરૃ કર્યું છે અને માત્ર ૪૦ વિઘાની જમીનમાં અંદાજે ૩ કરોડની આવક કરવાની શક્યતા ઊભી કરી છે.
What's Your Reaction?






