અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Lion Suspicious Death In Jafrabad Amreli: અમરેલી, ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેર જોવા મળતા હોય છે. જેમાં સ્થાનિકો પર વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ બાઇક ચાલક અને રિક્ષા ચાલક પર હુમલા બાદ સિંહનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરી નજીક બનતા વન વિભાગના અધિકારીઓ સ્થળે દોડી પહોંચ્યા હતા. સિંહને બેથી ત્રણ વખત આચકી આવ્યા બાદ વનવિભાગની નજર સામે જ રેસ્ક્યુ પહેલા સિંહનું મોત થયું હતું. હડકવાની અસર હોવાની વનવિભાગે આશંકા વ્યક્ત કરી છે, ત્યારે સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડી ડૉક્ટર ટીમ દ્વારા મૃતક સિંહના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

