અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navratri 2025 : ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો. જેમાં ગરબાકિંગ ચેતન જેઠવા અને તેમના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ ગરબાની હુડો, અઠિંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપણી જેવી શૈલીઓની તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં ખાસ કરીને ભગવાન રામ અને સીતા પરનો રાસ રજૂ કરવામાં આવ્યો.
એટલું જ નહીં, પણ રાસ-રાસડો કોને કહેવાય, ગરબો-ગરબી શું છે, તે કોણ રમે, નવરાત્રિમાં કાણાવાળો ગરબો કેમથી શરુ કરીને રાસ-ગરબાની ઉત્પત્તિ અને વિકાસની જર્નીની ઓથેન્ટિક ઇન્ફર્મેશન રસાળ શૈલીમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
What's Your Reaction?






