અમદાવાદથી રાજકોટ સુધી લંબાવેલી 6 ટ્રેનોને લીલીઝંડી છતાં દોડતી નથી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અઢી વર્ષથી રેલવે મંત્રાલયના આદેશનો ઉલાળિયો : રાજકોટ-સૌરાષ્ટ્રને દિલ્હી સહિત પાંચ રાજ્યો સાથે જોડતી મહત્વની રેલસેવાને કાગળ પરથી આગળ લાવવામાં સાંસદો સદંતર નિષ્ફળ
રાજકોટ, : રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રેલસેવામાં હંમેશા અન્યાય થતો આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માત્ર બે વંદે ભારત ટ્રેન સિવાય સૌરાષ્ટ્રને કંઈ મળ્યું નથી. આશ્ચર્યની વાત છે કે અમદાવાદથી રાજકોટ સુધી લંબાવેલી 6 ટ્રેનોને અઢી વર્ષ પહેલાં રેલવે મંત્રાલય તરફથી લીલીઝંડી આપી દેવામાં આવી હોવા છતાં એ આદેશનો ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે. ખાસ તો રાજકોટ-સૌરાષ્ટ્રને ૫ાંચ રાજ્યો સાથે જોડતી મહત્વની રેલસેવાને કાગળ પરથી આગળ લાવવામાં સાંસદો સરેઆમ નિષ્ફળ નિવડયા છે. વળી, અમદાવાદ-રાજકોટ રેલવે ડિવિઝન કોઈ નક્કર કારણ આપવાના બદલે ઉડાવ જવાબ સાથે જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

