VIDEO: અમરેલીમાં અર્જુન પટોળિયાની અંતિમયાત્રા: પત્નીના અસ્થિ વિસર્જન બાદ લંડન જતા પ્લેન ક્રેશમાં થયું હતું નિધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News : અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો હૃદયને હચમચાવી દેનારો છે. ગત 26 મે 2025એ લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈનું 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. અર્જુનભાઈના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે અર્જુનભાઈના DNA મેચ થયા બાદ તેમનો મૃતદેહ વડિયા લાવવામાં આવ્યો હતો અને આજે સોમવારે (16 જૂન) શરૂ વરસાદે અર્જુનભાઈની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
What's Your Reaction?






