Vadodara News : પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં R&Bના અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે ACB કરશે તપાસ

Jul 24, 2025 - 10:30
Vadodara News : પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં R&Bના અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે ACB કરશે તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓ સામે એસીબી કરશે તપાસ, અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે એસીબી તપાસ કરશે તેવી વાત સામે આવી છે, 4 સસ્પેન્ડ અધિકારી પૈકી 3 સામે ACB તપાસ કરશે, કાર્યપાલક ઈજનેર યુ. સી. પટેલ, ના.કાર્યપાલક ઈજનેર આર. ટી. પટેલ, મદદનીશ ઈજનેર જે. વી. શાહ સામે તપાસ થશે અને ઈજનેર એન. એમ. નાયકાવાલાને સસ્પેન્ડ કરાયા હતા.

ક્લાસ-1 ઓફિસર હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ

મહત્વની વાત તો એ છે કે, તમામ અધિકારીઓ કલાસ વન અધિકારી હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે, ઉપલી કચેરીથી તપાસ માટેની મંજૂરી આવશે એટલે તપાસ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે, અધિકારીઓના પગારની સામે કેટલી અપ્રમાણસર મિલકત છે તેને લઈ તપાસ કરવામાં આવશે અને રાજય સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.

૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે ગંભીરા બ્રિજને લઈ

રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે.

રાજ્યભરમાં 20 બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ

રાજ્યમાં હાલમાં 20 બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યાં છે. ટેસ્ટિંગની પ્રક્રિયા બાદ સમારકામ કરી ફરી ચાલુ કરાશે.રાજ્યભરમાં હાલ 7,280 મેજર અને માઈનોર બ્રિજ છે. રાજ્યભરમાં સંપૂર્ણ બંધ કરાયેલા 20 બ્રીજ સિવાય બાકી ના બ્રીજ પર ભારે વાહનો સિવાય નો વાહનવ્યવહાર ચાલુ કરાયો છે. રાજ્યમાં 1500 કરતા વધુ મેજર બ્રીજ છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ભારે વાહનો માટે બ્રીજ બંધ કરાયા હતાં.

અગાઉ મંજૂર થયેલા 80 બ્રિજ પર સમારકામ ચાલુ

ગંભીરા બ્રિજની ઘટનામાં અનેક લોકો નદીમાં ખાબકતા મોતને ભેટ્યા હતાં. ત્યારબાદ સરકારે બ્રિજની મરામત અને નવા બનાવવા અંગે તંત્રને આદેશ કર્યો હતો. જેને લઈને તંત્રના અધિકારીઓ દોડતા થયા હતાં. અધિકારીઓએ બ્રિજનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત જે બ્રિજને સમારકામની જરૂર હોય ત્યાં વાહનવ્યવહાર બંધ કરીને રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. જ્યાં રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજ પર ફરીવાર વાહનવ્યવહાર પૂર્વવત કરાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0