Vadodara : વાઘોડિયામાં વારંવાર વીજકાપથી ગ્રામજનોનો MGVCL કચેરીએ હોબાળો, પોલીસ બોલાવવાની ફરજ પડી

Sep 12, 2026 - 23:30
Vadodara : વાઘોડિયામાં વારંવાર વીજકાપથી ગ્રામજનોનો MGVCL કચેરીએ હોબાળો, પોલીસ બોલાવવાની ફરજ પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદ બાદ વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. અલવા અને નર્મદપુરા ગામના લોકો રાત્રિના સમયે વાઘોડિયા MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે હોબાળો કર્યો હતો.

વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો કચેરીએ પહોંચ્યા

ગ્રામજનોના જણાવ્યા મુજબ, બંને ગામમાં વરસાદને કારણે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો હતો. રાત્રિના સમયે વીજળી બંધ રહેતાં લોકો પરેશાન બન્યા હતા. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગ્રામજનો MGVCL કચેરીએ પહોંચ્યા હતા.

અધિકારી હાજર ન મળતાં રોષ

ગ્રામજનો કચેરી ખાતે પહોંચ્યા ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતાં લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો. વીજ પુરવઠાની સમસ્યા અંગે જવાબ આપવા માટે અધિકારી ન મળતાં પરિસ્થિતિ તંગ બની હતી.પોલીસને બોલાવવાની ફરજ પડી

કચેરી ખાતે ગ્રામજનોના હોબાળા બાદ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ વીજ પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા અને વારંવાર સર્જાતી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે MGVCL તંત્ર ગ્રામજનોની સમસ્યાનો કેટલા સમયમાં ઉકેલ લાવે છે અને ભવિષ્યમાં વારંવાર વીજકાપની સ્થિતિ અટકાવવા શું પગલાં ભરે છે. 


આ પણ વાંચો :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0