Vadodara:ઇરાન - ઇઝરાયેલ યુદ્ધના પગલે ગુજરાતના ઉદ્યોગોમાં ચિંતા વ્યાપી

Jun 20, 2025 - 04:30
Vadodara:ઇરાન - ઇઝરાયેલ યુદ્ધના પગલે ગુજરાતના ઉદ્યોગોમાં ચિંતા વ્યાપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇરાન - ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના પગલે ગુજરાતના ઉદ્યોગ સંચાલકો ચિંતિત બન્યા છે. આ યુધ્ધ દિવસે દિવસે તીવ્ર બની રહ્યું છે ત્યારે જીઓપોલીટીકલ પરિસ્થિતિ પણ ઝડપથી બદલાઇ રહી હોઇ તેની આર્થિક અસરો નિશ્ચિતપણે પડશે. ખાસ કરીને ક્રુડના ભાવમાં થઇ રહેલા તીવ્ર વધારાના પગલે ઉદ્યોગો સહિત સમગ્ર અર્થતંત્ર ઉપર અસર પડશે તે નિશ્ચિત બન્યું છે.આજે ક્રુડનો ભાવ એક બેરલના 77 ડોલર હતો.

બીજી તરફ હોર્મુઝના અખાતનો દરિયાઇ માર્ગમાં અવરોધના પગલે શિપિંગ ખર્ચ પણ વધશે, મૂડી પ્રવાહને અસર પડશે. ભારતના ઓઇલ અને ગેસના પુરવઠા માટે મોટુ જોખમ ઊભું થઇ શકે છે. કેમકે ભારતમાં 40 ટકા ઓઇલ-ગેસ આ માર્ગ ઉપરથી આવે છે.

આ સ્થિતિમાં ગુજરાતના પેઇન્ટ ઉદ્યોગો માટે પણ પડકાર રૂપ સ્થિતિ સર્જાઇ છે. પેઇન્ટ ઉદ્યોગ માટે સોલવન્ટ અને રેઝિન્સ ખૂબ જરૂરી હોય છે. જે 50 ટકા જેટલો ઉત્પાદન ખર્ચ ગણાય છે. સોલવન્ટ અને રેઝિન્સની કિંમત પણ ક્રુડની કિંમતના પગલે વધશે. આ કંપનીઓને રિટેઇલ ભાવ વધારવાની ફરજ પડશે જે માગમાં ઘટાડો કરી શકે તેમ છે. નેપ્થા, ઇથેન, પ્રોપેન અને અન્ય ક્રુડ ડેરિવેટિવ્ઝ પણ પ્લાસ્ટિક, સિન્થેટીક ફાઇબર્સ,સોલવન્ટ્સ અને અન્ય કેમિકલ્સ માટે મહત્વાના ફીડ સ્ટોક છે.કેમિકલ અને પેટ્રોકેમિકલ કંપનીઓમાં આ ચીજોનો કાચામાલની કિંમતમાં 50 ટકા ગણાય છે. નાઇટ્રોજન આધારીત ફર્ટિલાઇઝર્સ ખાસ કરીને યુરિયા અને એમોનિયાનું ઉત્પાદન કુદરતી ગેસ અને ઓઇલ ઉપર આધારિત છે. જો એલએનજીનો ભાવ પણ ઓઇલની કિંમત વધતા ગણનાપાત્ર રીતે વધી જશે. આથી ફર્ટિલાઇઝરનું ઉત્પાદન ખર્ચ વધશે. આથી રિટેઇલ ભાવ વધતા સરકાર ઉપર સબસિડીનો જંગી બોજો આવશે. જે કરોડો રૂપિયામાં હશે.

ઓટોમોબાઇલ ઉત્પાદકો પણ હાલ પ્લાસ્ટિક, રબર અને પેટ્રોલિયમ આધારિત ચીજોની કિંમતમાં તોળાઇ રહેલા ભાવ વધારાની ગણતરી કરી રહ્યા છે. આ તમામ બાબત છેવટે કોર્પોરેટ સેકટરમાં નફામાં અસર કરશે. કેમિકલ ઉદ્યોગો પણ હાલમાં પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતમાં પેટ્રોકેમિકલ, કેમિકલ, ફાર્મા, પ્લાસ્ટિક, ફર્ટિલાઇઝર, ઓટો ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોના સંચાલકો પરિસ્થિતિ કેવો વળાંક લેશે તેની ઉપર નજર રાખી રહ્યા છે.

ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે

ભારતનું અર્થતંત્ર ઓઇલની આયાત ઉપર આધારીત છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધ તીવ્ર બને તો આગામી દિવસમાં ક્રુડના ભાવમાં જંગી વધારો થાય તેવી શક્યતા છે.જે ઉત્પાદન ખર્ચને અસર કરશે. આ સ્થિતિમાં ઉદ્યોગોએ ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે. ઉદ્યોગોએ સ્પર્ધાત્મકતા વધારવી પડશે.- ડો.અજય રાંકા, ઉદ્યોગપતિ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0