Vadodara:અડધા શહેરને ડૂબાડનાર અગોરા મોલની 'ચાઈના વૉલ' કેમ તોડી પડાતી નથી ?

Jun 3, 2025 - 04:00
Vadodara:અડધા શહેરને ડૂબાડનાર અગોરા મોલની 'ચાઈના વૉલ' કેમ તોડી પડાતી નથી ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં ગત વર્ષે પૂરમાં સર્જાયેલી તારાજીના કારણે સફાળા જાગેલા તંત્રએ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે અડધા શહેરને ડૂબાડનાર અગોરાની ચાઈના જેવી વૉલ કેમ તંત્રને નજરમાં આવતી નથી? ગત વર્ષે પ્રજાના રોષના કારણે ક્લબ હાઉસ તોડવામાં આવ્યું હતું, પરંતુ દિવાલને બચાવી લેવામાં આવી હતી. હજૂ પણ સત્તાવાર ચોમાસાને બે સપ્તાહની વાર છે, ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવાલનું દબાણ તોડાશે કે પછી ફરી વરસાદમાં અડધા શહેરને ડૂબાડવાનો પ્લાન તૈયાર કરાયો છે? તેને લઈ સવાલો ઉઠયાં છે.

વિશ્વામિત્રી નદી કિનારા પાસેની કિંમતી જમીન આવાસ યોજના અંતર્ગત સ્લમ રીહેબિલિટેશન પ્રોગામના નામે માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સ્વ. બિલ્ડર આશિષ શાહને અપાઈ હતી. જોકે, બિલ્ડરે નદીની હજારો ચો.મીટર જમીન પર ગેરકાયદે દબાણ કરી દીધું હતું. આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થતાં હાઈકોર્ટે નોટીસ પાઠવી હતી, તેમ છતાં બાંધકામ પરવાનગી વિભાગે બિલ્ડરને બાંધકામ કરવાની શરતી મંજૂરી આપી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે, બિલ્ડરે સરકારી જમીન પર કરેલા દબાણો દુર કરવામાં તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. જેના કારણે બિલ્ડર અને તેના સાથીદારોએ નદીની જગ્યાનો ગેરકાયદે કબજો કરી ક્લબહાઉસ અને દિવાલ બનાવી ખાનગી સિક્યોરિટી ગાર્ડને બેસાડી દીધા હતા. જોકે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા પૂરના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવાની સાથે લાખો - કરોડો રૂપિયાનું નુકસાન થતાં રાજ્ય સરકાર, ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પ્રજાના રોષનો ભોગ બન્યા હતા. જે બાદ સપ્ટેમ્બરમાં કોર્પોરેશને નદીની જગ્યામાં બિલ્ડરે ગેરકાયદે બનાવેલું ક્લબ હાઉસ તોડયું હતું, પરંતુ દિવાલ આજે પણ અડીખમ છે. આ દિવાલ ચોમાસા પહેલા નહીં તોડવામાં આવે તો ફરી એકવાર અડધું વડોદરા શહેર પાણીમાં ડૂબશે? તેવી પણ લોકોમાં ચર્ચા ઉઠી છે.

વિશ્વામિત્રી નદી, કાંસ અને તળાવોની જગ્યામાં ઊભા થયેલા દબાણો ક્યારે દૂર કરાશે?

શહેરમાં વર્ષોથી ભાજપનું રાજ હોવા છતાં VMCના અધિકારીઓ અને ભાજપના નેતાઓના આર્શિવાદથી પરપ્રાંતિય લધુમતિઓની ગેરકાયદે વસાહતો અનેકગણી વધી છે. જેમાં પરપ્રાંતિયોએ વિશ્વામિત્રી નદી, તળાવો અને કાંસોનો ગેરકાયદે કબજો કરી દીધો છે. આજે ભાંડવાડા, હાથીખાના ઈન્દિરાનગર બ્રીજ અને બહુચરાજી રોડ પર મોટી સંખ્યામાં પરપ્રાંતિયોએ કાંસની જગ્યામાં વસાહતો બનાવી છે. અહીં બેથી ત્રણ માળના મકાનો, દુકાનો અને ગેરેજ ખડકી દેવાયા છે. હદ તો એ છે કે, ગેરકાયેદ મકાનો અને દુકાનો ઉભી કરી દીધી હોવા છતાં જી.ઈ.બી. દ્વારા વીજમીટર અપાયા છે. જ્યારે ડ્રેનેજના અને પાણીના ગેરકાયદે કનેક્શનો લઈ લીધા છે. હાથીખાના તળાવની આસપાસ પરપ્રાંતિય લઘુમતીઓના અનેક મકાનો ઉભા થઈ ગયા છે. બિલ્ડીંગો પણ બની ગઈ છે. આવી જ રીતે નવાયાર્ડ, ગોરવા, આજવા રોડ એકતાનગર, કાસમઆલા કબ્રસ્તાન અને ન્યુ તાંદલજામાં પરપ્રાંતિય લઘુમતીઓની અનેક ગેરકાયદે વસાહતો ઉભી થઈ ગઈ છે. તેમજ કોર્પોરેશનની કોઈપણ જાતની મંજૂરી લીધા વગર જ આડેધડ મકાનો બાંધી દીધા હોવા છતાં કાર્યવાહી થતી નથી.

રાજારાણી અને સરસિયા તળાવની આસપાસ ગેરકાયદે વસાહતીઓનો કબજો

પાણીગેટ ગૌરવ સોસાયટીની પાછળ આવેલા રાજા-રાણી તળાવ તથા ફતેપુરાના સરસિયા તળાવની જગ્યામાં મોટી વસાહત ઉભી થઈ ગઈ છે. જેમાં રાજારાણી તળાવના પાળા અને ફીડર લાઈન ઉપર પણ દબાણો કરી દેવાયા છે. તેમજ ફીડર લાઈનમાં ગેરકાયદે ભંગાણો કરી 24કલાક પાણીની સુવિધા મેળવી લેવામાં આવી છે. જેના કારણે રોજ લાખો લીટર પાણીનો બગાડ થાય છે, બીજી તરફ વેરાધારકોને પીવાનું પાણી મળતું નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0