Surendranagar: શહેરમાં આધારકાર્ડમાં નામ અને સરનામા ફેરફાર માટે પણ બે ધક્કા ખાવાના

Sep 10, 2025 - 03:00
Surendranagar: શહેરમાં આધારકાર્ડમાં નામ અને સરનામા ફેરફાર માટે પણ બે ધક્કા ખાવાના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં એક નિવૃત કલાસ-2 ઓફીસર પોતાની પૌત્રવધુના લગ્ન બાદ આધારકાર્ડમાં નામ અને સરનામુ સુધારવા માટે ગયા હતા. જેમાં માત્ર નામ જ સુધર્યુ, સરનામુ સુધારવા ફરીવાર આવવુ પડશે તેમ કર્મચારીએ કહેતા નિવૃત કર્મીને કડવો અનુભવ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડમાં નામ, સરનામુ, ફોન નંબર સુધારવા અરજદારોની લાંબી લાઈનો લાગે છે. તેમાં પણ અમુક નીયત સંખ્યામાં જ ટોકન અપાતા હોવાથી અરજદારોને કામધંધો છોડીને કલાકો સુધી પરેશાન થવુ પડે છે. ત્યારે સુરેન્દ્રનગરના એક નીવૃત કલાસ-2 અધીકારીને આધારકાર્ડમાં નામ, સરનામુ સુધારવામાં કડવો અનુભવ થયો છે. આ અંગે ગજેન્દ્રસિંહ લાલસિંહ ઝાલાના જણાવાયા મુજબ તેમના પૌત્રવધુનું લગ્ન પહેલા આધારકાર્ડ તેમના પિયર ભુજનું હતુ. જે લગ્ન બાદ સુરેન્દ્રનગર શહેરનું સરનામું કરાવવા તેઓ લગ્નના પ્રમાણપત્ર સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરી સ્થીત જનસેવા કેન્દ્રમાં ગયા હતા. જેમાં પુછપરછ કરતા અન્ય આધાર તરીકે ચૂંટણી કાર્ડ અને પૌત્રવધુને સાથે લાવવાનું જણાવતા ગજેન્દ્રસિંહ તેમા પૌત્રવધુ સાથે ગયા હતા. જેમાં નામમાં તો સુધારો થયો પરંતુ સરનામુ ભુજનું જ રહ્યુ. આ અંગે પુછતા ફરજ પરના કર્મચારીએ જણાવ્યુ કે, હાલ નામ સુધરશે ત્યારબાદ નવુ આધારકાર્ડ આવ્યા બાદ ફરીથી આવજો એટલે સરનામુ સુધરશે. આથી ગજેન્દ્રસિંહ આ કેવો નીયમ પહેલા નામ સુધરે, બાદમાં સરનામુ સુધરે બન્ને એક સાથે સુધરે તો અરજદારોને ધક્કા ન રહે તેમ કહેતા કર્મીએ તમારે જયાં રજુઆત કરવી હોય ત્યાં કરો તેમ જવાબ આપ્યો હતો. બાદમાં ગજેન્દ્રસિંહે સુ.નગર ડાકઘર સ્થિત આધાર કેન્દ્રનો સંપર્ક કરતા ત્યાં નામ, સરનામુ એક સાથે સુધારી શકાય તેમ જાણવા મળ્યુ હતુ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0