Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી લેવા માટે ACB સક્રિય છે. ACBના હાથે લાંચિયા અધિકારીઓ પકડાતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાં તલાટી સહિત બે શખ્સોને ત્રણ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે. બંને વિરૂદ્ધ ACBએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિ ઝડપાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના લખતરમાં તલાટી અને અન્ય બે શખ્સોએ ફરિયાદી પાસે વઢવાણ તાલુકાના વડોદ ગામે બે પ્લોટના ગામ નમૂના નંબર 02ના ઉતારા માટે ફરિયાદી પાસે 3 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. લાંચિયા અધિકારીએ ફરિયાદીને કહ્યું હતું કે, ઉતારા માટે ત્રણ હજારનો વહિવટ કરવો પડશે. લાંચના પૈસા અન્ય વ્ચક્તિને આપવા જણાવ્યું હતું.
વચેટીયો તલાટી વતી લાંચ લેવા પહોંચ્યો હતો
ફરિયાદી પાસે ખાનગી વ્યક્તિ રાજુભાઈ રામજીભાઈ વસોયાએ તલાટી ધર્મેશ કુમાર તળશીભાઈ પેઢડીયા વતી લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ લાંચ આપવા માંગતા નહીં હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ બાદ ACBએ લાંચિયા અધિકારીને પકડવા છટકું ગોઠવ્યું હતું. ACB પોલીસે લખતર હાઈવે પર આવેલ હોટલ પાસે 3 હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત બે વ્યક્તિને ઝડપી લીધા હતાં. બંને સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
What's Your Reaction?






