Surendranagar: ચૂડાના ભૃગુપુર ગામે વેલ્ડિંગની દુકાન બહારથી રૂ. 40 હજારનો સામાન ચોરાયો

Jun 22, 2025 - 01:30
Surendranagar: ચૂડાના ભૃગુપુર ગામે વેલ્ડિંગની દુકાન બહારથી રૂ. 40 હજારનો સામાન ચોરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી-રાણપુર હાઈવે પર ભૃગુપુર ગામ પાસે વેલ્ડીંગની દુકાન બહારથી સામાન ચોરાયાની ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ લીંબડીમાં થોડા દિવસ પહેલા થયેલ ઘરફોડમાં બે ઘરમાંથી 80 હજારની મત્તા ચોરાયાનો ગુનો નોંધાયો છે.

ચૂડાના ભૃગુપુર ગામે રહેતા રમેશભાઈ નાનજીભાઈ ડાભી લીંબડી-રાણપુર રોડ પર શિવશકિત હાર્ડવેર તથા વેલ્ડીંગની દુકાન ધરાવે છે. તેઓની દુકાન સાંકડી હોઈ વધારાનો સામાન કાયમ દુકાનની બહાર રાખે છે. ત્યારે ગત તા. 15મીએ રાત્રે દુકાન બહારથી લોખંડના દાઢા નંગ 27 ચોરાયા હતા. જયારે ગત તા. 18મીએ રાત્રે કોઈ શખ્સો દુકાન બહારથી ગેલ્વેનાઈઝની 2 બારી, 2 લોખંડની એરણ, લોખંડ કાપવાનું કટર, 3 પરચુરણ એંગલ ચોરી કરી લઈ ગયા હતા. આથી રમેશભાઈએ ચૂડા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂ. 40 હજારનો સામાન ચોરાયાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ વિજયસીંહ ખેર ચલાવી રહ્યા છે. બીજી તરફ લીંબડીમાં થોડા દિવસ પહેલા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં લીંબડીની ગોલેતર પા શેરીમાં રહેતા શારદાબેન બાલકૃષ્ણભાઈ આચાર્યએ લીંબડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓ અને તેમના પતિ અમદાવાદ ગયા હતા. ત્યારે બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત રૂ. 70 હજારની મત્તા લઈ ગયા હતા. જયારે તેમની બાજુમાં રહેતા રાજેન્દ્રસીંહ કેશુભા ઝાલા ભાવનગર ખોડીયાર મંદિરે દર્શને ગયા હોય તેમને ત્યાં પણ તસ્કરો ખાબકયા હતા અને રૂ. 10 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ બી. જે. સોલંકી ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0