Suratમાં આરોગ્ય વિભાગને મચ્છરોના બ્રીડ મળતા અલગ-અલગ વિસ્તારોમાં 491 લોકોને ફટકારી નોટીસ

સુરતમાં વરસાદના વિરામ બાદ આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.મચ્છરોના બ્રીડને લઈને આરોગ્ય તંત્રની તપાસ અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહી છે,મચ્છરોના બ્રીડ મળતા 491 લોકોને નોટીસ આપવામાં આવી છે,સાથે સાથે કન્સ્ટ્રક્શન સાઈટ, ઘરો, ખુલ્લા પ્લોટોનો સરવે પણ કરવામાં આવી રહ્યો છે.સુરતમાં અત્યાર સુધી કુલ 1,08,493 ઘરોનો સરવે કરવામાં આવ્યો છે.આરોગ્ય વિભાગ લાગ્યું કામે સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ ધંધે લાગ્યું છે,અલગ-અલગ વિસ્તારોમાં ખાસ કરીને સ્લમ વિસ્તારો,કન્ટ્રકશન સાઈટો પર મચ્છરોના બ્રીડિંગ મળતા તે જ જગ્યા પર તે લોકોને નોટીસ આપવામાં આવી છે,અત્યારસુધી 2,97,545 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે.તપાસમાં કુલ 3144 મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે.મચ્છરોના બ્રીડિંગનો જંતુનાશક દવાથી નાશ કરાયો છે.SMCના VBDC વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો છે. સુરતમાં વરસાદે લીધો છે વિરામ સુરતમાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ રોગચાળાએ માથું ઉંચકયું છે,જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે.આરોગ્ય વિભાગ દ્રારા અલગ-અલગ જગ્યાએ સરવે અગામી સમયમાં પણ કરવામાં આવશે,જે લોકો ગંદકી કરી રહ્યાં છે તેની સામે પગલા લેવામાં આવ્યા છે અને આગળ પણ લેવામાં આવશે,ખાસ કરીને વરસાદી પાણીમાં મચ્છરો ઈંડા મૂકતા હોય છે તેના કારણે પાણી અને તેની આસપાસ જે ઘરો આવેલા છે તે ઘરોમાં મચ્છરોનું સામ્રાજય જોવા મળે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Suratમાં આરોગ્ય વિભાગને મચ્છરોના બ્રીડ મળતા અલગ-અલગ વિસ્તારોમાં 491 લોકોને ફટકારી નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરતમાં વરસાદના વિરામ બાદ આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.મચ્છરોના બ્રીડને લઈને આરોગ્ય તંત્રની તપાસ અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહી છે,મચ્છરોના બ્રીડ મળતા 491 લોકોને નોટીસ આપવામાં આવી છે,સાથે સાથે કન્સ્ટ્રક્શન સાઈટ, ઘરો, ખુલ્લા પ્લોટોનો સરવે પણ કરવામાં આવી રહ્યો છે.સુરતમાં અત્યાર સુધી કુલ 1,08,493 ઘરોનો સરવે કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગ લાગ્યું કામે

સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ ધંધે લાગ્યું છે,અલગ-અલગ વિસ્તારોમાં ખાસ કરીને સ્લમ વિસ્તારો,કન્ટ્રકશન સાઈટો પર મચ્છરોના બ્રીડિંગ મળતા તે જ જગ્યા પર તે લોકોને નોટીસ આપવામાં આવી છે,અત્યારસુધી 2,97,545 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે.તપાસમાં કુલ 3144 મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે.મચ્છરોના બ્રીડિંગનો જંતુનાશક દવાથી નાશ કરાયો છે.SMCના VBDC વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો છે.


સુરતમાં વરસાદે લીધો છે વિરામ

સુરતમાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ રોગચાળાએ માથું ઉંચકયું છે,જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે.આરોગ્ય વિભાગ દ્રારા અલગ-અલગ જગ્યાએ સરવે અગામી સમયમાં પણ કરવામાં આવશે,જે લોકો ગંદકી કરી રહ્યાં છે તેની સામે પગલા લેવામાં આવ્યા છે અને આગળ પણ લેવામાં આવશે,ખાસ કરીને વરસાદી પાણીમાં મચ્છરો ઈંડા મૂકતા હોય છે તેના કારણે પાણી અને તેની આસપાસ જે ઘરો આવેલા છે તે ઘરોમાં મચ્છરોનું સામ્રાજય જોવા મળે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.


મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.