Surat: શહેર પોલીસ કમિશ્નરે 14 ગુનેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

Jun 10, 2025 - 16:30
Surat: શહેર પોલીસ કમિશ્નરે 14 ગુનેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી સમયમાં રથયાત્રા યોજાશે. અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદમાં પોલીસે એક સાથે 24 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં પણ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા હતાં અને 14 ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી.

સુરતમાં 14 ગુનેગારો સામે પાસા

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 14 ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. 14 જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમા ધકેલી દેવામાં આવ્યાં છે. છેલ્લા બે દિવસથી આ આરોપીઓને પકડવા માટે પોલીસ સક્રિય થઈ હતી. સુરતમાં માથાભારે સજ્જુ ઉર્ફે સાજીદ કોઠારી અને પ્રકાશ દેસાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં વણસેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં 24 ગુનેગારો સામે પાસા

અમદાવાદમાં 24 ગુનેગારોને પકડીને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 10 ગુનેગારો સામે તડિપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટા શહેરોમાં પોલીસ દ્વારા થયેલી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. જાહેરમાં આતંક મચાવનારા ગુનેગારો પોલીસની કાર્યવાહીથી ફફડી ઉઠ્યાં છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0