Surat: લાલગેટ વિસ્તારમાં વિદ્યર્મી યુવકે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા હોબાળો

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર વિદ્યર્મી યુવકે પથ્થરમારો કરતા હોબાળો થયો છે. ત્યાં હાજર ભક્તોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો. શ્રદ્ધાળુઓએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે. હજારોની સંખ્યામાં લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા. પોલીસે ટોળા પર લાઠી ચાર્જ કર્યો. ભક્તોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો સુરતના વરિયાવી વિસ્તારમાં કોમી તોફાન જેવી ઘટના જોવા મળી રહી છે. લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતા. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મોટો હોબાળો થયા બાદ ધારાસભ્ય કાંતિ બલ્લર ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે.

Surat: લાલગેટ વિસ્તારમાં વિદ્યર્મી યુવકે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર વિદ્યર્મી યુવકે પથ્થરમારો કરતા હોબાળો થયો છે. ત્યાં હાજર ભક્તોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો. શ્રદ્ધાળુઓએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે. હજારોની સંખ્યામાં લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા. પોલીસે ટોળા પર લાઠી ચાર્જ કર્યો. 

ભક્તોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો

સુરતના વરિયાવી વિસ્તારમાં કોમી તોફાન જેવી ઘટના જોવા મળી રહી છે. લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતા. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મોટો હોબાળો થયા બાદ ધારાસભ્ય કાંતિ બલ્લર ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે.