Surat News: ખેતરમાં શૌચક્રિયા કરવા ગયેલી મહિલા પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો, ઈજાગ્રસ્ત મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. મોટા શહેરોમાં શ્વાનોના ખસીકરણ સામે સવાલો ઉભા થયાં છે. અમદાવાદમાં પેટ ડોગ દ્વારા હુમલો થતાં એક બાળકીનું મોત થયું હતું. ત્યારે સુરતમાં રખડતા શ્વાને મહિલા પર હુમલો કરતાં મહિલાનું મોત નિપજ્યું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. જંગલી શ્વાનોએ હુમલો કરતાં મહિલાનું મોત નિપજ્યું છે.
ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામની ઘટના
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામમાં એક મહિલા પર શ્વાનના ટોળાએ હુમલો કરતાં મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યાર બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતક મહિલા ખેતરમાં શૌચક્રિયા કરવા માટે ગઈ હતી. આ દરમિયાન જંગલમાંથી આવેલા શ્વાનના ટોળાએ મહિલા પર હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલાને કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાઓને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું.
ઉમરપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી
શ્વાનના હુમલામા મહિલાનું મોત થયાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉમરપાડા પોલીસે મૃતક મહિલાના મૃતદેહને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. શ્વાનના હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. લોકોમાં ખેતરમાં જતા પણ હવે ભય સતાવી રહ્યો છે. જંગલમાંથી આવેલા જંગલી શ્વાનોએ મહિલા પર હુમલો કરતાં મહિલાનું મોત નિપજ્યુ હતું.
What's Your Reaction?






