Surat: ખુલ્લી ગટરમાં પડેલા બાળકનું થયું મોત, પરિવારમાં છવાયો માતમ
સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલા બાળકનું મોત થયું છે. 24 કલાક બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની શોધખોળ માટે NDRFની મદદ લેવામાં આવી હતી. સવારે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી હતી અને 24 કલાક વિતી ગયા બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો છે.ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતુ તમને જણાવી દઈએ કે વરિયાવમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું હતું, માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન અચાનક બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકનો જીવ ગયો છે, ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતુ, તંત્રની બેદરકારની કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે, જેમાં કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવ્યો અને કતારગામના વરિયાવ વિસ્તારમાં આ ઘટના બની છે, આ બાળકની ઉંમર 2 વર્ષ છે. ફાયર વિભાગની ટીમે શોધખોળ ચાલુ રાખી જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી અને આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલા બાળકનું મોત થયું છે. 24 કલાક બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની શોધખોળ માટે NDRFની મદદ લેવામાં આવી હતી. સવારે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી હતી અને 24 કલાક વિતી ગયા બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો છે.
ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતુ
તમને જણાવી દઈએ કે વરિયાવમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું હતું, માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન અચાનક બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકનો જીવ ગયો છે, ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતુ, તંત્રની બેદરકારની કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે, જેમાં કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવ્યો અને કતારગામના વરિયાવ વિસ્તારમાં આ ઘટના બની છે, આ બાળકની ઉંમર 2 વર્ષ છે.
ફાયર વિભાગની ટીમે શોધખોળ ચાલુ રાખી
જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી અને આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.