Suratમાં હિટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત, કાર મૂકી કારચાલક થયો ફરાર

સુરતમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે જેમાં નવા રિંગરોડ પર ફુલ સ્પીડે આવી રહેલી કારે રોડ પર બાઈક લઈને જઈ રહેલા વાહનચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,ત્યારે પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કારચાલક ફરાર સુરતમાં હિટ એન્ડ રનમાં બાઈકચાલકનું મોત થયું છે.નોકરી પર જઈ રહેલા વ્યકિતનું હિટ એન્ડ રનમાં મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે.અકસ્માત સર્જનાર તો ફરાર છે પરંતુ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરાઈ છે,પોલીસે હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પરિવારના સભ્યોને જાણ કરી છે.તો બીજી તરફ પરિવારનું કહેવું છે કે પોલીસ આરોપીને ઝડપીને લાવે. 18-09-2024ના રોજ પણ બની ઘટના અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી,જેમાં શામળાજીના ખોડંબા પાસે અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં બે યુવકોને ઈજા પહોંચી હતી જેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા.શામળાજી મંદિરે દર્શને કરવા જતા આ બનાવ બન્યો હતો. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Suratમાં હિટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત, કાર મૂકી કારચાલક થયો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે જેમાં નવા રિંગરોડ પર ફુલ સ્પીડે આવી રહેલી કારે રોડ પર બાઈક લઈને જઈ રહેલા વાહનચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,ત્યારે પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

કારચાલક ફરાર

સુરતમાં હિટ એન્ડ રનમાં બાઈકચાલકનું મોત થયું છે.નોકરી પર જઈ રહેલા વ્યકિતનું હિટ એન્ડ રનમાં મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે અને આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે.અકસ્માત સર્જનાર તો ફરાર છે પરંતુ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરાઈ છે,પોલીસે હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પરિવારના સભ્યોને જાણ કરી છે.તો બીજી તરફ પરિવારનું કહેવું છે કે પોલીસ આરોપીને ઝડપીને લાવે.

18-09-2024ના રોજ પણ બની ઘટના

અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી,જેમાં શામળાજીના ખોડંબા પાસે અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં બે યુવકોને ઈજા પહોંચી હતી જેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા.શામળાજી મંદિરે દર્શને કરવા જતા આ બનાવ બન્યો હતો.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.