Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને હીરાજડિત મુગટ પહેરાવાયો અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો
પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘાની સાથે હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે અને સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આજે પૂનમ નિમિતે દાદાને વિશેષ શણગાર સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે,આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને હીરાજડિત મુગટ પણ પહેરાવામાં આવ્યો છે દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામા મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈનવાળા અને જરદોશી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે.આ વાઘા 20 દિવસની મહેનતે 4 કારીગરે તૈયાર કર્યા છે.આ સાથે દાદાને હીરાજડિત મુગટ પણ પહેરાવામાં આવ્યો છે. દાદાને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો આજે હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે.જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના ફૂલો વાળી ડિઝાઈનના વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
![Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને હીરાજડિત મુગટ પહેરાવાયો અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો](https://epapercdn.sandesh.com/images/2025/02/12/qDfXC0aSjRyK9h5c19wlioQGjsiN8xcC34I60gGr.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘાની સાથે હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે અને સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે.
આજે પૂનમ નિમિતે દાદાને વિશેષ શણગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે,આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
દાદાને હીરાજડિત મુગટ પણ પહેરાવામાં આવ્યો છે
દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામા મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈનવાળા અને જરદોશી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે.આ વાઘા 20 દિવસની મહેનતે 4 કારીગરે તૈયાર કર્યા છે.આ સાથે દાદાને હીરાજડિત મુગટ પણ પહેરાવામાં આવ્યો છે.
દાદાને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો
આજે હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે.જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના ફૂલો વાળી ડિઝાઈનના વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.