Sarangpur News : શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 2 હજાર કિલોથી વધુ વિવિધ ફળોનો શણગાર-અન્નકૂટ ધરાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય ફ્રુટના વાઘાનો શણગાર કરાયો તથા વિવિધ 2 હજાર કિલોથી વધુ વિવિધ ફ્રુટનો શણગાર-અન્નકૂટ ધરાવાયો છે.
શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા પહેરાવાયા છે
ભગવાન શિવજીની આરાધનાના પર્વ નિમિત્તે ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.26-07-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા પહેરાવાયા છે.
બપોરે 11:15 કલાકે ફ્રુટનો અન્નકૂટ ધરાવાશે
સિંહાસને વિશેષ વિવિધ ફ્રુટનો શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી નૌતમ સ્વામીજી (પ્રમુખશ્રી – સત્સંગ મહાસભા-વડતાલ) દ્વારા તથા સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 11:15 કલાકે ફ્રુટનો અન્નકૂટ ધરાવાશે. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
આજે ફ્રુટની 50 કિલો કેક બનાવી દાદાને ધરાવી
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે ભગવાન શિવની આરાધનાના વિશેષ શ્રાવણ માસના પહેલાં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એક અઠવાડિયાની મહેનતે એક ભક્તે બનાવેલા ફ્રુટના વાઘા પહેરાવ્યા છે. તો દાદાના સિંહાસને 2 હજાર કિલોથી વધુ વિવિધ ફ્રુટનો શણગાર કર્યો છે. આ સાથે દાદાને આજે ફ્રુટની 50 કિલો કેક બનાવીને ધરાવી છે. દાદાને શણગાર કરાયેલા ફ્રુટ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
સાળંગપુરમાં દર શનિવારે ષોડશોપચાર પૂજન
સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર શનિવારે ષોડશોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાશે
પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.16 ઓગસ્ટ 2025નારોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સાળંગપુરમાં દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે ભકતોને
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે 4 થી 6:30 કલાક નો રહેશે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.
What's Your Reaction?






