Saputara: ગિરિમથકમાં ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી, વહીવટી તંત્રએ પથ્થરો હટાવવાની તજવીજ શરૂ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. સાપુતાના આ ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાણ હાની થઈ નથી. ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. આ ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને હટાવીને તજવીજ શરૂ કરવામાં આવી છે.
ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના
સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. જિલ્લામાં વરસાદમાં ધોધ અને ઝરણાં સક્રિય થતાં પ્રવાસીઓની ભીડ જામે છે. ઘાટ માર્ગમાં વરસાદના કારણે ભેખડ ધસી પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલું કરાવી પથ્થરો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાપુતારા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી
ભેખડ ધસવાની ઘટના સામે આવતા સાપુતારા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચીં છે. અગાઉ પણ થોડી દિવસો પહેલા આ માર્ગ પર ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી હતી. સાપુતારાના આ રસ્તામાં એક મહિનામાં બે વાર ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.આ ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને હટાવીને તજવીજ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






