Sabarkantha News: ખેડબ્રહ્મામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં થોડા દિવસો અગાઉ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે અંગે ચારેય બાજુ ચર્ચા શરુ થઇ હતી. પોલીસે આ મામલે સતર્કતા દાખવીને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વાસના રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
બે આરોપીઓ જેલ હવાલે
ખેડબ્રહ્મામાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. દીનેશ પ્રજાપતિ અને ગોવિંદરામ ભાર્ગવ નામના બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે. અને તેમને જેલ હવાલે કર્યા છે. ખેડબ્રહ્માના વાસના રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં આ બે શખ્સોએ ચોરી કરી હતી. પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવીને ઘટનાની જાણ કરી હતી. તો આ તરફ પોલીસે તપાસ તેજ બનાવીને દીનેશ પ્રજાપતિ અને ગોવિંદરામ ભાર્ગવ ઝડપી પાડ્યા હતા. અને સાથે જ કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
ખેડબ્રહ્મા પોલીસે પોતાની સતર્કતાથી મામલાનું નિવારણ લાવી હતી. જે બાદ આગામી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચોરી કરેલા દાગીના વેચવા જતા આરોપીઓ પર પોલીસે વોચ ગોઠવી હતી. અને તે બાદ આ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધેકેલ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
What's Your Reaction?






