Sabarkantha: પોળો ફોરેસ્ટમાં રજાના દિવસે કરફયુ જેવો માહોલ, 18 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ

ગુજરાતના સાબરકાંઠના ઈડર નજીક આવેલ વિજયનગરના પોળોના જંગલોમાં હાલ કરફયુ જેવો માહોલ છે.ઉપરવાસમાં વરસાદ વરસતા પાણી વધારે છોડાતા પોલો ફોરેસ્ટને 18 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય જિલ્લા કલેકટર દ્રારા લેવામાં આવ્યો છે,જેને લઈ હાલ પોલો ફોરેસ્ટ વિસ્તાર સુમસામ બન્યો છે,તો આસપાસના વેપારીઓને ધંધાને લઈ નુકસાન થઈ રહ્યું છે. હરણવાવ નદી બે કાંઠે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલોમાં તથા પોળો કેમ્પ સાઇટ પર હાલમાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે હાલમાં વિજયનગર તાલુકામાં આવેલા વણજ ડેમમાં પાણી ફુલ સપાટીએ ભરાઇ ગયો છે. તેમજ હાલમાં ઉપરવાસમાં વરસાદ થઇ રહ્યો હોવાથી વણજ ડેમમાં પાણીની આવક સતત વધી રહેલ છે. જેથી વણજ ડેમના દરવાજા ખોલી અને રોજ રોજ 2 હજારથી 3 હજાર ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહેલ છે. જેના કારણે હરણાવ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ સાબરકાંઠા વિજયનગર પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ છે. જેમાં પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ચારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે અનેક પ્રયાસ થઇ રહ્યાં છે. તેમાં પ્રવાસીઓની સુવિધા વધારવા માટે વિસ્તારની પોલ્યુશન ફ્રી, ઇકો ટુરીઝમ તરીકે વિકાસવા માટે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં વાણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર ચક્રિય વાહનો અને તેથી ભારે વાહન ઉપર પ્રતિબંધ છે. જેમાં જાહેરનામુ 20 ઓગસ્ટ 2024 સુધી અમલમાં મૂકવામાં આવ્યુ છે. તથા હુકમનો ભંગ કરનાર વ્યક્તિને કલમ 188 હેઠળ દંડને પાત્ર રહેશે. પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.

Sabarkantha: પોળો ફોરેસ્ટમાં રજાના દિવસે કરફયુ જેવો માહોલ, 18 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના સાબરકાંઠના ઈડર નજીક આવેલ વિજયનગરના પોળોના જંગલોમાં હાલ કરફયુ જેવો માહોલ છે.ઉપરવાસમાં વરસાદ વરસતા પાણી વધારે છોડાતા પોલો ફોરેસ્ટને 18 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય જિલ્લા કલેકટર દ્રારા લેવામાં આવ્યો છે,જેને લઈ હાલ પોલો ફોરેસ્ટ વિસ્તાર સુમસામ બન્યો છે,તો આસપાસના વેપારીઓને ધંધાને લઈ નુકસાન થઈ રહ્યું છે.

હરણવાવ નદી બે કાંઠે

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલોમાં તથા પોળો કેમ્પ સાઇટ પર હાલમાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે હાલમાં વિજયનગર તાલુકામાં આવેલા વણજ ડેમમાં પાણી ફુલ સપાટીએ ભરાઇ ગયો છે. તેમજ હાલમાં ઉપરવાસમાં વરસાદ થઇ રહ્યો હોવાથી વણજ ડેમમાં પાણીની આવક સતત વધી રહેલ છે. જેથી વણજ ડેમના દરવાજા ખોલી અને રોજ રોજ 2 હજારથી 3 હજાર ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહેલ છે. જેના કારણે હરણાવ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે.


પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ

સાબરકાંઠા વિજયનગર પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ છે. જેમાં પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ચારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે અનેક પ્રયાસ થઇ રહ્યાં છે. તેમાં પ્રવાસીઓની સુવિધા વધારવા માટે વિસ્તારની પોલ્યુશન ફ્રી, ઇકો ટુરીઝમ તરીકે વિકાસવા માટે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં વાણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર ચક્રિય વાહનો અને તેથી ભારે વાહન ઉપર પ્રતિબંધ છે. જેમાં જાહેરનામુ 20 ઓગસ્ટ 2024 સુધી અમલમાં મૂકવામાં આવ્યુ છે. તથા હુકમનો ભંગ કરનાર વ્યક્તિને કલમ 188 હેઠળ દંડને પાત્ર રહેશે.

પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે

પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.